Saturday, December 24, 2011

શું કહેવું?

હોય ભાર ચોમાસું અને વરસે
અનરાધાર, એ તો સમજ્યા;
પણ મોસમ વિના ગર્જી ને પડતો
બેસુમાર, એને શું કહેવું?

અંતર થી દૂર હોય છે તેને કહે છે
જુદાઈ, એ તો સમજ્યા;
દૂર હોય છે અંતર થી, નજીક હોવા છતાં,
ખુદાઈ, એને શું કહેવું?

- નયનેશ વોરા (લખ્યા તા: ૦૭-મે-૧૯૯૩)

No comments:

Post a Comment