Friday, August 10, 2012

શ્રી સુરેશ દલાલ - ગુજરાતી કવિતા ના અવાજ ને શ્રદ્ધાંજલિ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.

તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.

તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.

તારા વિના…

તારા વિના…

તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

- સુરેશ દલાલ (૧૯૩૨ થી ૨૦૧૨)

Sunday, July 15, 2012

હું એક જ છું.

જીવન ના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
અ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ના હોય શકે
પણ એનો દ્વિતિય નથી,
એના અંગુઠા ની છાપ, એના અક્ષરો નો મરોડ,
એના અવાજ ની ગહરાઈ, એના ચહેરા ની રેખાઓ,
એના અનુભવ નો ગ્રાફ ,
એના ભૂતકાળ ના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દીલસંબંધો,
એનું પતિત્વ, પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈ ને
એક એવા બિંદુ પર આવી ને ઉભા રહી જાય છે
જયારે કહી શકે છે:
એકો અહં, દ્વિતીયો નાસ્તિ...
ન ભૂતો ન ભવિષ્યતિ ...


હું એક જ છું.
મારા જેવો બીજો નથી.


ઈગો - ચંદ્રકાંત બક્ષી માં થી સાભાર 

Thursday, January 12, 2012

પ્રોએક્ટીવ/રીએક્ટીવ જીવન

કાં તો આપણે આપણા અસ્તિત્વ ના કેન્દ્રબિંદુ માં થી જીવીએ છીએ, કાં તો લોકો જીવાડે એક જીવીએ. પ્રથમ ને અંગ્રેજી માં કહે છે પ્રોએક્ટીવ, બીજા ને રીએક્ટીવ. અધ્યાત્મ ની ભાષા માં કહીએ તો અધર ઓરિયેન્ટેડ. પ્રથમ છે દીવો, બીજું છે અરીસો. દીવો સ્વયં પ્રકાશે, રેડીયેટ કરે - એની રોશની કોઈ પર અવલંબિત નથી. જયારે અરીસો તો સામે આવે છે એને દર્શાવે, રીફ્લેકટ કરે, એની પોતાની પાસે સ્વયં નું કોઈ અજવાળું નથી.
- Small સત્ય, મુકેશ મોદી, દિવ્ય ભાસ્કર ૧૧/૦૧

Wednesday, January 11, 2012

વિવેકાનંદ વિચાર

જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ? - સ્વામી વિવેકાનંદ

Sunday, January 8, 2012

ભગવાનની ટપાલ – ગુણવંત શાહ

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે.
વધુ વાંચો: રીડ ગુજરાતી પર (અને હા, "ભગવાન ની ટપાલ" પુસ્તકે વાંચવા નું ચૂકતા નહીં! )