Friday, August 10, 2012

શ્રી સુરેશ દલાલ - ગુજરાતી કવિતા ના અવાજ ને શ્રદ્ધાંજલિ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.

તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.

તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.

તારા વિના…

તારા વિના…

તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

- સુરેશ દલાલ (૧૯૩૨ થી ૨૦૧૨)