સંગીત કેરી સરગમ નો જેમ
પહેલો સ્વર છે "સા",
જીવન કેરી સરગમ કેરો
સાચો સ્વર છે "માં"!
- તુષાર શુક્લ
Saturday, December 24, 2011
કૃતજ્ઞતા
અત્યાર સુધી તો
મને એમ હતું કે
શક્તિ પૈસા માં છે
શક્તિ તો ડિગ્રી માં છે
શક્તિ બહાર ક્યાંક છે.
પણ.. જયારે મેં પોતાની અંદર જોયું
જયારે મેં પોતાની સામે જોયું
તો મને સમજાયું કે
શક્તિઓ તો બધી મારી અંદર છે
જયારે હું મારી શક્તિઓ ને ઓળખું, વિકસાવું
અને અભિવ્યક્ત કરું
ત્યારે જ હું સારું ભણી શકું, સારો વ્યવસાય કરી શકું
અને સારો માણસ બની શકું.
મારી શક્તિઓ એટલે,
મારો આત્મવિશ્વાસ,
મારી વિચારવા ની ક્ષમતા,
મને થતી ઇચ્છાઓ અને લાગણીઓ,
મારી કલ્પના કરવાની ક્ષમતા,
મારી વાતચીત કરવાની ક્ષમતા,
મારી ચાલવા ની, દોડવાની અને હસવા ની ક્ષમતા,
મારી લખવા ની ક્ષમતા,
સકારાત્મક વિચારવાની ક્ષમતા,
માણસ સાથે માણસ બની રહેવા નો આગ્રહ,
પ્રેમ આપી અને પ્રેમ મેળવી શકવા ની ક્ષમતા.
મારી આ શક્તિઓ થાકી,
હું ધારું તે સર્જી શકું છું.
અને હું "ધારી શકું છું"
એ મારી સૌથી મોટી શક્તિ!
- તન્મય વોરા (લખ્યા તા: ૨૦. ૧૦. ૨૦૦૬)
મને એમ હતું કે
શક્તિ પૈસા માં છે
શક્તિ તો ડિગ્રી માં છે
શક્તિ બહાર ક્યાંક છે.
પણ.. જયારે મેં પોતાની અંદર જોયું
જયારે મેં પોતાની સામે જોયું
તો મને સમજાયું કે
શક્તિઓ તો બધી મારી અંદર છે
જયારે હું મારી શક્તિઓ ને ઓળખું, વિકસાવું
અને અભિવ્યક્ત કરું
ત્યારે જ હું સારું ભણી શકું, સારો વ્યવસાય કરી શકું
અને સારો માણસ બની શકું.
મારી શક્તિઓ એટલે,
મારો આત્મવિશ્વાસ,
મારી વિચારવા ની ક્ષમતા,
મને થતી ઇચ્છાઓ અને લાગણીઓ,
મારી કલ્પના કરવાની ક્ષમતા,
મારી વાતચીત કરવાની ક્ષમતા,
મારી ચાલવા ની, દોડવાની અને હસવા ની ક્ષમતા,
મારી લખવા ની ક્ષમતા,
સકારાત્મક વિચારવાની ક્ષમતા,
માણસ સાથે માણસ બની રહેવા નો આગ્રહ,
પ્રેમ આપી અને પ્રેમ મેળવી શકવા ની ક્ષમતા.
મારી આ શક્તિઓ થાકી,
હું ધારું તે સર્જી શકું છું.
અને હું "ધારી શકું છું"
એ મારી સૌથી મોટી શક્તિ!
- તન્મય વોરા (લખ્યા તા: ૨૦. ૧૦. ૨૦૦૬)
મારું ઘર
જ્યાં રોજ સાંજ ઢળતાંચરણો વળતાં મેળે
અ માર્ગ પછી ની મંઝીલ એ મારું ઘર છે;
ને કડી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે
- હરીન્દ્ર દવે
અ માર્ગ પછી ની મંઝીલ એ મારું ઘર છે;
ને કડી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે
- હરીન્દ્ર દવે
ઈશ્વર નો અનુગ્રહ
જીવન માં થી
સંગ્રહ - આગ્રહ - પરિગ્રહ અને પૂર્વગ્રહ છુટે
તો
ઈશ્વર નો અનુગ્રહ ઉતરે...!
- પૂ. મોરારી બાપુ
સંગ્રહ - આગ્રહ - પરિગ્રહ અને પૂર્વગ્રહ છુટે
તો
ઈશ્વર નો અનુગ્રહ ઉતરે...!
- પૂ. મોરારી બાપુ
શું કહેવું?
હોય ભાર ચોમાસું અને વરસે
અનરાધાર, એ તો સમજ્યા;
પણ મોસમ વિના ગર્જી ને પડતો
બેસુમાર, એને શું કહેવું?
અંતર થી દૂર હોય છે તેને કહે છે
જુદાઈ, એ તો સમજ્યા;
દૂર હોય છે અંતર થી, નજીક હોવા છતાં,
ખુદાઈ, એને શું કહેવું?
- નયનેશ વોરા (લખ્યા તા: ૦૭-મે-૧૯૯૩)
અનરાધાર, એ તો સમજ્યા;
પણ મોસમ વિના ગર્જી ને પડતો
બેસુમાર, એને શું કહેવું?
અંતર થી દૂર હોય છે તેને કહે છે
જુદાઈ, એ તો સમજ્યા;
દૂર હોય છે અંતર થી, નજીક હોવા છતાં,
ખુદાઈ, એને શું કહેવું?
- નયનેશ વોરા (લખ્યા તા: ૦૭-મે-૧૯૯૩)
આપજે
ભલે તું મને ફક્ત રણ આપજે
હું ચાલી શકું એ ચરણ આપજે
ભલે હર ઘડી મુંજવણ આપજે
મને કાળજું પણ કઠણ આપજે
પરમતત્વ ને પામી શકું હું પણ
મને એવી એકાદ ક્ષણ આપજે
હું બોલું પછી, હોઠ ખોલું પછી
પ્રથમ તું મને આચરણ આપજે
કદાચિત ભૂલી જાઉં હું ખુદ ને હમદમ
સતત એક તારું સ્મરણ આપજે!
- તુરાબ "હમદમ"
હું ચાલી શકું એ ચરણ આપજે
ભલે હર ઘડી મુંજવણ આપજે
મને કાળજું પણ કઠણ આપજે
પરમતત્વ ને પામી શકું હું પણ
મને એવી એકાદ ક્ષણ આપજે
હું બોલું પછી, હોઠ ખોલું પછી
પ્રથમ તું મને આચરણ આપજે
કદાચિત ભૂલી જાઉં હું ખુદ ને હમદમ
સતત એક તારું સ્મરણ આપજે!
- તુરાબ "હમદમ"
વિચાર શૂન્ય થવાની કળા
માણસ સૌથી વધારે યાતના ભોગવે છે બીજા કશા ને લીધે નહિ પણ વિચારો ને કારણે... - ટોલ્સટોય
સર્વોત્તમ પ્રાર્થના
સર્વોત્તમ પ્રાર્થના માત્ર એકજ વાક્ય ની હોય શકે:
હે પ્રભુ! હું જે ઈચ્છું તે નહીં પણ જે યોગ્ય હોય તે જ થજો!
હે પ્રભુ! હું જે ઈચ્છું તે નહીં પણ જે યોગ્ય હોય તે જ થજો!
Subscribe to:
Posts (Atom)